વાતો કદી કરશે નહીં 20/04/201720/04/2017 Rakesh Thakkar ગઝલ નરેશ ડોડિયા આગ દિલમાં લાગશે તો એકદમ ઠરશે નહીં રોજ બળતી આગની જ્વાળા કદી શમશે નહીં. કરકસર ના હોય, જે માંગે એ દિલથી દે ભલા પ્રેમ છે, એ આપવાથી કોઈ દિ’ ઘટશે નહીં. સાવ અણઘડ હોય છે શરૂઆત જેના પ્રેમની એ જ માણસ અંતની વાતો કદી કરશે નહીં. સાંજ પડતાં રોજ ખુશબૂ સમ શું ફેલાતું હશે ? એ પવનની જાત જેવી છે નજર ચડશે નહીં. ભાવ સાથે જ્યાં ભરોસો હોય તો એ પ્રેમ છે એ ‘મહોતરમા’ વિના બીજે કશે મળશે નહીં. – નરેશ ડોડિયા